Other Activities
I do many activities like, Anchoring in TV & Radio Programs, Activities at Sahitya Sangam (A Place for Literature Lover), Conducting Quiz, Antaxari and Karaoke Programs.
Hasyo-Utsav at Sahitya Sangam (A Program on Comedy Literature)
Talent Show organized at Shree Apartment
Organized Navratri, Ganesh Vishrjan and MSB-Picnic
Review: Children's Film Festival at Surat
પાર્થના સંઘ – ભદ્ર આશ્રમ દ્વારા બાળકો અને મહિલાઓની વાંચન પ્રક્રિયા વિકસાવવાના હેતુથી યોજાયેલા એક સપ્તાહના ‘બાળ ફિલ્મોત્સવ’નો આરંભ સ્વામી ભદ્રના વિચારો મુજબ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે વિજય ભટ્ટ નિર્દેશિત ફિલ્મ ‘બાપુને કહા થા’થી થઇ હતી. ૩૦૦ જેટલાં બાળકોએ આ ફિલ્મને ‘સત્યમેવ જયતે’ના નારા સાથે માણી હતી. આ ઉત્સવ ફિલ્મ સોસાયટી ઓફ સુરતના સહકારથી ઉજવાય છે.
છેક ૧૯૫૨માં બનેલી બાળકો માટેની ફિલ્મ ‘બાપુને કહા થા’ દેશના મહાન ફિલ્મકાર વિજય ભટ્ટની ભેટ હતી, જેમણે ‘રામ રાજ્ય’, ‘બૈજુ બાવરા’, ‘ગુંજ ઊઠી શેહનાઈ’ કે ‘હિમાલય કી ગોદ મેં’ જેવી મહાન ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મની કથા વિખ્યાત વાર્તાકાર કૃષ્ણ ચંદર, સંગીત અવિનાશ વ્યાસ અને ગીતો ભરત વ્યાસના હતાં. જેમાં નાના પલસીકર મુખ્ય ભૂમિકામા હતા. આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અભિનય કરતાં જોવા મળ્યા, જેઓ બાળકોને મહાત્મા ગાંધીના બાળપણના વિચારો જણાવે છે. તેમના ‘સત્યમેવ જયતે’ વિચારો પર ચાલવાનું ગામનો રાજુ નક્કી કરે છે. તેને તરત સમજાય છે કે ગામલોકો આ વિચારોથી દૂર થઇ ચુક્યા છે. તે કેવી રીતે ગામલોકોને સત્યના માર્ગે લાવે છે, તે આ ફિલ્મની કથાવસ્તુ છે.
ફિલ્મ જોતાં પહેલાં બાળકોની સામે સેંકડો બાળ પુસ્તકો મુકવામાં આવ્યાં હતાં. તેની રંગબેરંગી કાલ્પનિક દુનિયામાં બાળકો ખોવાયા હતાં. તેઓ ફિલ્મ જુએ તે દરમિયાન તેમના વાલીઓ, ખાસ કરીને, માતાઓ માટે જાણીતા વક્તા-લેખક ઉમેશ ભટ્ટનો ‘સંબંધોના સમીકરણો’ સેમિનાર યોજાયો હતો, જેમાં તેમણે માનવ જીવનમાં સંબંધોનું મહત્વ, સંવેદના, વિશ્વનીયતા, સમર્પણ જેવાં મુદ્દાઓ વિવધ સ્ટોરીઝ સાથે જણાવ્યા હતાં. માતાઓએ સેમિનારને ઇન્ટરેક્ટિવ બનાવ્યો હતો.
પ્રાર્થના સંઘના પ્રમુખ શ્રી નવીનભાઈ ચોખાવાલાએ આશિષ આપ્યાં હતાં અને હિરેનબેન શાહની પ્રાર્થનાથી શરુ થયો હતો.
મંગળવારે સવારે ૧૧ કલાકે અન્નુ કપૂર નિર્દેશિત ‘અભય’ બાળ ફિલ્મ બતાવવામાં આવશે. જેના મુખ્ય કલાકાર નાના પાટેકર, બેન્જામીન ગીલાની અને મુન મુન સેન છે.
(રીવ્યુ: ઋચા કિનારીવાલા)
Antakshari Program